Mahir Kalam News

News Website

રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ભાવપૂર્વ સંપન્ન

રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ભાવપૂર્વ સંપન્ન
Views: 37
0 0

Read Time:4 Minute, 30 Second

ભગવાનને અર્પણ કરવામાં આવેલી ભેટ-સોગાદો જરૂરીયાતમંદને અપાશે.

શ્રદ્ધાળુઓ ભાવવિભોર, પટ્ટાંગણ નાનું પડયું.

મહિલા સત્સંગ મંડળનું સફળ આયોજન… અભિનંદન વર્ષા.

અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવધામ સમિતિ, મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે તુલશી વિવાહ ભાવપૂર્વ સંપન્ન થયું હતું. ભગવાનના લગ્ન સમારોહમાં આવેલી ભેટ-સોગાદો જરૂરીયાતમંદને આપવામાં આવશે.

શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. મહિલા મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમિતિના પ્રમુખ-એડવોકેટ જયંત પંડયાએ મહાદેવધામમાં હાજરી આપેલ તમામ સોસાયટીઓનું અભિવાદન કરી, મહાદેવધામ માનવ મંદિરની સ્થાપના વાસ્તવમાં સફળ થઈ છે.

જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિ સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધાર્મિક વિધિ-વિધાનમાં જોડાયા હતા. સમિતિએ

પ્રસાદનું વિતરણ કર્યું હતું. લોકોની આસ્થાને વંદન કરવામાં આવેલ હતું.

મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયાએ જણાવ્યું કે આ

ધાર્મિક કાર્યક્રમમાં લોકો સ્વયંભુ જોડાયા હતા. મંદિરના નિયમોનું પાલન, આયોજનબદ્ધ હોય પરિવાર સાથે લોકો આવવાનું પસંદ કરે છે તેનો ગર્વ છે. વર-કન્યા પક્ષના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. લગ્ન સમારોહમાં મીનાબેન સોમપુરા, ભારતીબેન રાવલ, તેના સંબંધી અને પરિવારના સદસ્યોએ ભગવાનના લગ્નમાં વિશેષ હાજરી આપી હતી.

ભગવાનના લગ્ન સમારોહમાં નગરસેવક ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, મહામંત્રી મનીષભાઈ ડેડકિયા, વોર્ડના હોદ્દેદારોમાં કેતનભાઈ મકવાણા, દર્શિતભાઈ જોશી, શ્યામભાઈ ખટ્ટા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ અને અનંતભાઈ ગોહેલે હાજરી આપી હતી.

પૂજારી પ્રવિણભાઈ જોશીએ ધાર્મિક વિધિનું મહત્વ સમજાવેલ. ભગવાન લગ્ન પાછળની કથા શ્રદ્ધાળુઓને સવિસ્તાર સમજાવી હતી. સમગ્ર સૃષ્ટિનું નિર્માણકર્તા તેનો અહોભાવ પ્રગટ કર્યો હતો, ઋતુચક્ર પ્રમાણે ભારતના ત્યૌહારો છે તેની સમજ આપવામાં આવી હતી. તુલશી વિવાહની સફળતાએ મહિલા મંડળની બેનમુન કામગીરીની કદર કરવામા આવી હતી. અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, ભક્તિબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, જયશ્રીબેન મોડેસરા, પ્રફુલ્લાબેન બોરીયા, ભદ્રાબેન ગોહેલ, સમિતિના વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, હસુભાઈ સોની, જતીન મોડેસરા, રાજેશ મોડેસરા, અંકલેશ ગોહિલ, જીલ પરમાર સહિત કાર્યક્રરોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સુનિતાબેન વ્યાસે કર્યું હતું.

ફોટો તસ્વીર : રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહના ધાર્મિક કાર્યક્રમની વિવિધ તસ્વીરોમાં મંડપારોપણમાં આરતી, ભગવાનની લગ્નની વિવિધ ધાર્મિક વિધિઓ, મહિલા મંડળના સદસ્યો નજરે પડે છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ઉપરોકત મેટર ફોટા વિગતવાર પ્રસિદ્ધ કરવા વિનંતી. ઈ-મેઈલમાં ફોટા મોકલેલ છે જે વિદીત થાય.

જીવનનગર વિકાસ સમિતિ

રિપોર્ટ દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *