Mahir Kalam News

News Website

રાજકોટ જીવનનગરમાં ગણપતિ મહોત્સવનું ભાવપૂર્વ સ્થાપન થયું

રાજકોટ જીવનનગરમાં ગણપતિ મહોત્સવનું ભાવપૂર્વ સ્થાપન થયું
Views: 52
0 0

Read Time:3 Minute, 54 Second

જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો.

રાજયના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ હાજરી આપશે.

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહતાનું ભાવપૂર્વ સ્થાપન કરવામાં આવ્યું હતું. કોઈપણ અવરોધ વગર, આદર્શ રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર તા. ૬ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે મંદિરની બાજુમાંથી સાદાઈથી ગણેશજીની મૂર્તિને લાવીને સ્થાપન કરવામાં આવ્યું હતું. ભગવાન ગણેશજીના ગુણાનુવાદ સાથે પૂજન-અર્ચન, આરતી કરવામાં આવ્યા હતા. વિનોદરાય જે. ભટ્ટે મહોત્સવનો શણગાર-સુશોભન કરી શ્રદ્ધાળુઓને આકર્ષવામાં આવ્યા હતા. સ્થાપન, દિપમાળા, મહાઆરતીમાં રહીશો જોડાયા હતા.

સમિતિના પ્રમુખ–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પ્રતિ વર્ષ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થા મુજબ ઉજવણી થાય છે. ઘોંઘાટ વગર, અબીલગુલાલ, વસ્તુઓનો બગાડ થાય નહિ, રાહદારીઓને તકલીફ પડે નહિ તેનું ધ્યાન રાખવામાં આવે છે. મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી. દરરોજ સાંજે આરતીમાં મોટી સંખ્યામાં રહીશો જોડાય છે. આગામી દિવસોમાં રાજયના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ હાજરી આપવાના છે. પ્રસાદનો બગાડ થાય નહિ તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે.

સમિતિના વિનોદરાય ભટ્ટ, અંકલેશ ગોહિલ, સંજય ધકાણ, અનંતરાય ગોહેલ, શૈલેષભાઈ પુજારા, પંકજભાઈ મહેતા, વિનોદરાય ઉપાધ્યાય, હસુભાઈ મોડેસરા, રાજુ મોડેસરા, વિજયભાઈ જોબનપુત્રા, સંજયભાઈ કરગથરા, પુજારી પ્રવિણભાઈ જોષી મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, નેહાબેન મહેતા, જીગીષાબેન રાવલ, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, યોગિતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, ભક્તિબેન ખખ્ખર, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, કિર્તીબેન કરગથરા સદસ્યોએ સ્થાપન વિધિમાં ભાગ લીધો હતો.

દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી મંદિરના પટાંગણમાં અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે તેની જાહેરાત કરવામાં આવી હતી.

ફોટો તસ્વીર : રાજકોટ રૈયા રોડ ઉપર રામેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિ મહોત્સવ સ્થાપનમાં જીવનનગર કા વિઘ્નહર્તાનું ભાવપૂર્વ સ્થાપન આસ્થાળુઓ કરે છે તે તસ્વીરમાં નજરે પડે છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ફોટા સાથે વિગતવાર પ્રગટ કરવા પ્રાર્થના છે. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

જીવનનગર વિકાસ સમિતિ વતી

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *