Mahir Kalam News

News Website

સેવા, સંસ્કૃતિ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવ

સેવા, સંસ્કૃતિ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવ
Views: 23
0 0

Read Time:2 Minute, 36 Second

સદભાવના ગ્રુપના ગણેશ મહોત્સવમાં સમાજસેવા અને કલાનો અનોખો સમન્વય*

*સાવરકુંડલામાં ભવ્ય ગણેશ મહોત્સવ સદભાવના ગ્રુપે સેવા અને સંસ્કારની જ્યોત પ્રગટાવી*

સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલામાં આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ, સેવા અને સંસ્કારનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આ મહોત્સવ ફક્ત ધાર્મિક આયોજન ન રહેતાં, સમાજસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બન્યો હતો.
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બાળકો અને યુવાનો દ્વારા રજૂ થયેલો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. જેમાં નાનાં ભૂલકાંઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કલા, પ્રતિભા અને સંસ્કૃતિનો પરિચય આપીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ કલા, સંસ્કૃતિ અને સંસ્કારનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો.
ગણેશ મહોત્સવના આ પવિત્ર અવસર પર, સદભાવના ગ્રુપ દ્વારા સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં દાતાશ્રીઓની નિસ્વાર્થ સેવાભાવનાને બિરદાવવામાં આવી, જે સમાજને સેવાના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે. આ પ્રસંગે, દાતાશ્રી રમણીકભાઈ કાછડીયા (મહેશ સ્ટોર વાળા) તરફથી સંસ્થાને ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન ભેટ આપવામાં આવ્યું, જેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
સદભાવના ગ્રુપ પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદથી વર્ષોથી સમાજસેવાની અનોખી પરંપરા જાળવી રહ્યું છે. આ ગણેશ મહોત્સવ પણ તે જ સેવાયાત્રાને આગળ ધપાવે છે. દિવ્યદીપ માળના દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ લીધો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ અથાગ મહેનત કરી હતી. આ મહોત્સવની સફળતાએ ફરી એકવાર સદભાવના ગ્રુપની સેવા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી છે.

બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા સાવરકુંઙલા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *