Mahir Kalam News

News Website

મસ્જિદની બાજુમાં આવેલી જજરીત ઇમારતને તાત્કાલિક તપાસ કરીને તોડી પાડવામાં આવે તેને લઈ હાસુ જમાદાર મસ્જિદ ના ટ્રસ્ટીઓ અને આજુબાજુ રહેતા લોકોએ  આવેદન પત્ર આપ્યું

મસ્જિદની બાજુમાં આવેલી જજરીત ઇમારતને તાત્કાલિક તપાસ કરીને તોડી પાડવામાં આવે તેને લઈ હાસુ જમાદાર મસ્જિદ ના ટ્રસ્ટીઓ અને આજુબાજુ રહેતા લોકોએ  આવેદન પત્ર આપ્યું
Views: 37
0 0

Read Time:1 Minute, 34 Second

તમામ ટ્રસ્ટીઓએ અને આજુબાજુ ના વિસ્તાર ના લોકોએ મામલતદાર મેડમ શ્રીને અને ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું

માંગરોળ ખાતે આવેલ હાસુ જમાદાર મસ્જિદની માલિકીની મિલ્કત વર્ષોથી અતિ જર્જરીત હાલતમાં છે. આ ઈમારતમાં હાલ ગુલિસ્તાન પ્રાથમિક શાળા ચાલી રહી છે.

આ મિલ્કતના આજુબાજુ રહેતા લતાવાસીઓએ નગરપાલિકા માંગરોળ સમક્ષ વારંવાર અરજી કરીને સદરહુ ભયજનક ઈમારત તાત્કાલિક ઉતારવા માગણી કરી છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા પોતાના ભાડુતોને જગ્યા ખાલી કરવા તા. 19-06-2023ના રોજ આરપીએડી દ્વારા લેખિત નોટીસ આપવામાં આવી હતી, જેની નકલ નગરપાલિકા કચેરીમાં જાવક પણ કરવામાં આવી છે.

ઈમારત લાકડાના પીઢીયા વાળી અને સડકાયેલી/ઉધઈ લાગેલી હોવાને કારણે કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. સંસ્થા તરફથી નગરપાલિકાને લેખિત બાહેંધરી આપવામાં આવી છે કે ઈમલો ઉતારવાની કાર્યવાહી દરમ્યાન થનાર ખર્ચ સંસ્થા કાયદેસર ચૂકવવા તૈયાર છે. તેમ છતાં નગરપાલિકા તરફથી આજદિન સુધી માત્ર નોટીસો આપવામાં આવી છે, અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી

રિપોર્ટર દાનિશ ગુજરાતી માંગરોળ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *