પેન્શન યોજના સંબંધિત રાષ્ટ્રીય સ્તરના સંઘર્ષને ટેકો આપવા માટે જામનગર-દ્વારકા જિલ્લાના વિવિધ સરકારીલ અર્ધ-સરકારી તથા ખાનગી સંસ્થાઓના નિવૃત્ત સભ્યોની બેઠક આજે સવારે વાગ્યે મજૂર મહાજન સંઘના મહામંત્રી શ્રી પંકજભાઈ જોષીના કાર્યાલય ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં GEB નિવૃત્ત કર્મચારી મંડળલ જામનગરના પ્રચાર મંત્રી શ્રી મહિધર શુક્લા, ST કોર્પોરેશન જામનગરના વડા શ્રી નરશીભાઈ દાઉડિયા સહિત અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
3-4 ડિસેમ્બર, 2025ના રોજ દિલ્હીના જંતર-મંતરે યોજાનાર અખિલ ભારતીય EPF-95 વિરોધ કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
હાલમાં ચાલી રહેલી લગ્નની મોસમ તથા દિલ્હીની પરિસ્થિતિને કારણે પ્રદેશના મોટાભાગના નિવૃત્ત સભ્યો આ આંદોલનમાં વ્યક્તિગત રીતે હાજરી આપી શકશે નહીં એવો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
તેમ છતાં, જામનગર-દ્વારકા જિલ્લાના તમામ નિવૃત્ત EPF-95 સભ્યો વતી અખિલ ભારતીય સંગઠનને આંદોલનની સંપૂર્ણ સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.બેઠકના અંતે મહામંત્રી શ્રી પંકજ જોષીએ જણાવ્યું હતું કે ભ.1ઢઠપ પેન્શન સુધારો રાષ્ટ્રીય સ્તરે લાખો પેન્શનરોની જીવનજરૂરિયાત સાથે જોડાયેલો મુદ્દો છે અને જામનગર-દ્વારકા જિલ્લો આ લડતમાં નૈતિક ટેકો આપતો રહેશે. પ્રતિ,તંત્રીશ્રી/પ્રેસ પ્રતિનિધિશ્રી,જામનગર
ઉપરોકત પ્રેસનોટ જામનગર મહાનગરપાલિકાની હદદ વિસ્તારમાં આવતા નાના- મોટો ઔદ્યોગીક એકમોમાં કાર્યરત શ્રમિકોની લાભકારીક યોજના અંતર્ગત વિગતો હોય આપના સુપ્રસિધ્ધ વર્તમાન પત્રમાં યોગ્ય જગ્યાએ વિનામુલ્યે પ્રસિધ્ધ કરી આભારી કરશોજી. સ્થળ:- જામનગર તારીખ:- ૨૪/૧૧/૨૦૨૫ બી.પંકજ જોષી જનરલ સેક્રેટરી, મજુર મહાજન સંઘ, જામનગર એ-વન કોમ્પલેક્ષ, ૨૧૦, બીજો માળ, કે.વી. રોડ, જામનગર ૩૬૧૦૦૧ ફોન નં. (૦૨૮૮) ૨૬૭૭૭૭૫
મો. નં. ૮૫૧૧૧ ૮૫૭૪૧
રિપોર્ટર.દામજીભાઈ વેકરીયા..











