અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર ૧૨ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ | કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના કલાકાર તરીકે ૮૦ ઉપાસકોનુ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.
લોકસાહિત્ય, ચિત્રકલા, સંગીત,હેરિટેજ વોક, લેખન તેમજ । સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના | વિવિધ માધ્યમો થકી રાજ્યના
કરવાના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા છે.
આ પ્રસંગે જૂનાગઢના અલ્તાફ કુરેશી ને પર્યાવરણ ક્ષેત્રે પોતાના કામગીરી બદલ તેઓ એ ઊર્જા બચત તાલીમ એક હજાર થી વધારે શાળામાં આપેલ છે તેમજ ઘરેલું ગેસ બચાવો તાલીમ પણ વિવિધ મહિલા મન્ડલ તેમજ સખી મંડળમાં આપેલ ઉપરાંત સાઇકલ રેલી, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ કામગીરી બદલ આ અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-૨૦૨૫ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક શ્રી કપિલભાઈ ઠાકર સહિત કલાપ્રેમીઓ, સંસ્કૃતિના ઉપાસકો ને ‘અતુલ્ય’ એવોર્ડથી સન્માન મળેલ.
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર











