૨૭ યુવા સંસદ નું આયોજન પી એમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર મુકામેં કરવામાં આવેલું હતું જેમાં શાળા ના આચાર્ય સુરેશ સાહેબ તેમજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ નાં ગુણોનો વિકાસ થાય તે માટેની પહેલ કરી હતી જેમાં ઓમબીર યાદવ સાહેબ તથા ડોક્ટર કૃપાલ સાહેબ તરફથી આ કાર્યક્રમ ની પૂર્વ તૈયારી તેમજ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે પોરબંદર ના રાજ્ય સભાનાં સાંસદ રામભાઈ મોકરીયા તેમજ પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સાથે તાલુકા કો-ઓડીનેટર રેડ ક્રોસ સોસાયટી અને ગ્રીન પોરબંદર ધર્મેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરસ્વતી વંદના તેમજ દીપ પ્રાગટ્ય કરી બાદમાં મુખ્ય અતિથિ સાંસદ રામભાઈ મોકરીયા, ડો. ચેતનાબેન તિવારી અને ધર્મેશભાઈ પરમાર ને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. યુવા સંસદ કાર્યક્રમ નિહાળ્યા બાદ સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં તેને વિદ્યાર્થીઓનો ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસ માં વધારો થાય તેવું સુંદર પ્રવચન આપ્યું હતું અને સંસદના પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા. ત્યારબાદ ડો. ચેતનાબેન તિવારી દ્વારા પણ પ્રેરણારૂપી પ્રવચન પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના અંતે વિદ્યાલય ના વરિષ્ઠ શિક્ષક કે એસ યાદવ સાહેબ દ્વારા સરસ રીતે આભારવિધિ કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ સાંસદ રામભાઈ મોકરીયા, ડો. ચેતનાબેન તિવારી એ વિદ્યાલય ના ભોજનાલય ની મુલાકાત લીધેલ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરેલ હતી.
રિપોર્ટર:-અબ્દુલ રાવડા