ગુરૂવારે રાજકોટમાં કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપક્રમે લોકજાગૃતિ કાર્યક્રમ.
ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.
જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.
ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ ઉપર વૈજ્ઞાનિક સમાજ અપાશે.
રાજકોટ : રાજકોટ કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપક્રમે સૌરાષ્ટ્રમાં વસવાટ કરતાં કચ્છી પરિવારો, જાગૃતો, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાશે. ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન સાથે ભૂત, પ્રેત, વળગાડ ઉપર વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. જાથાનો ૧૦૦૬૫ મો કાર્યક્રમ યોજાશે.
કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો રસિકભાઈ કરશનભાઈ લીંબાણી, મોહનભાઈ રતનશીભાઈ લીંબાણી, રાજેશભાઈ નાકરાણી, રાજેશભાઈ નારણભાઈ વાડિયાની હાજરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન કરવામાં આવશે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્યમાં વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાકાર ઉમેશભાઈ રાવ શ્રેષ્ઠ અભિનય દ્વારા અંધશ્રદ્ધામાંથી બહાર આવવાના ઉપાયોગ રજૂ કરશે.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ધૂણવું-સવારી આવવાની ડિંડકલીલા, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, શ્રીફળ ઉપર બેસીને આપોઆપ ફરવું, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, માથા ઉપર સગડી રાખવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, કર્ણપિશાચ વિદ્યાનું ભ્રમ, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા વિગેરેનું નિદર્શન કરી સૌ કોઈને શીખડાવી દેવામાં આવશે.
રાજકોટમાં જાગૃતિનો અદભુત કાર્યક્રમ ગુરૂવાર તા. ૨ જી ઓકટોબર સાંજે ૫ કલાકે ગોંડલ રોડ, લેઉઆ કન્યા છાત્રાલયની બાજુમાં કચ્છ કડવા પાટીદાર સમાજના સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાન રસિકભાઈ લીંબાણીએ પરિવારોને સમયસર હાજરી આપવા અપીલ કરી છે.
પ્રયોગમાં જાથાના અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, ભાવનાબેન વાઘેલા સહિત કાર્યકરો ભાગ લેવાના છે.
રાજયમાં પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં જાગૃતિ મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા