“
આજથી ચાર દિવસ સુધી ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે
દુનિયાભરમાં અવકાશમાં ડૂકોનીકસ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે.
આજથી ગુરૂવાર સુધી અને તા. ૮ મી એ આકાશમાં મહત્તમ ઉલ્કા ખરતી જોવા મળશે.
વહેલી સાંજ અને મધ્ય રાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય.
પ્રારંભે કલાકની ૧૦, ત્યાર બાદ કલાકના ૫૦ થી ૧૦૦ વચ્ચે ઉલ્કા ખરતી જોવા મળશે.
રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ.
અમદાવાદઃ દુનિયાભરમાં આજથી ચાર દિવસ સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં પ્રારંભે કલાકની ૧૦, ત્યાર બાદ કલાકના ૫૦ થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે. ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. ૬ થી ૧૦ દરમિયાન સક્રિય અને ૮ ઓકટોબરે મહત્તમ ડૂકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. કલાક દીઠ દર મધ્ય-ઉત્તરી અક્ષાશો (45N) પરથી જોવામાં આવતા ૪ ની નજીક અને ઉષ્ટકટિબંધીય દક્ષિણી સ્થાનો (25S) પરથી જોવા મળતા ૩ ની નજીક અને કલાક દીઠ દરો ૧૧ ની નજીક મધ્ય-ઉત્તરી અક્ષાંશ (45N) અને ૯ ઉષ્ણકટિબંધીય દક્ષિણી સ્થાનો (25S) પરથી દેખાય છે. ખગોળી ઘટના નિહાળવામાં ધીરજ રાખવી જરૂરી છે. ડ્રેકોનિડ શાવર જેને ગિયાકોબિનિડસ પણ કહેવાય છે. અંધકાર પડતાં જ તેનો તેજસ્વી બિંદુ આકાશમાં સૌથી ઊંચો રહે છે.
વધુમાં પંડયા જણાવે છે કે ડૂકોનીકસ ઉલ્કા વર્ષાની મહત્તમ મંગળવાર અને બુધવાર વહેલી સાંજે, મધ્ય રાત્રિ બાદ અને વહેલી પરોઢે આકાશમાં જોવા મળશે નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.
જાથાના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા મધ્ય રાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી બે કે ત્રણ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દૂરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડિઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.
એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્ય પ્રકાશ દરમ્યાન પડકી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં ૫૦૦ થી વધુ પડી ઉલ્કાનો વરસાદ પડશે. જોનારા દિગ્મૂઢ બની જશે. ઉલ્કા વર્ષાની દિશા નિશ્ચિત નથી. કુદરતી ઘટના હોય, સમય, દિવસનો સામાન્ય ફેરફાર જોવા મળે છે. અવકાશી ઘટનામાં ધીરજનો ગુણ અતિ જરૂરી છે. ક્યારેક નિરાશા પણ સાંપડે છે. જીંદગીમાં એકવાર ઉલ્કા ખાતરી જોવી તે લ્હાવો છે. કાયમી સંભારણું બની જાય છે.
વિજ્ઞાન જાથાની શાખાઓમાં અને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જુનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત તાલુકા મથકોએ ઉલ્કા વર્ષા નિહાળવા સંબંધી રસ ધરાવતા મિત્રો માટે જ આયોજન કરવામાં આવ્યું છે.
જાથાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ બાળકો, જીજ્ઞાપુઓ, નાગરિકોને અવકાશ તરફ નજર કરતાં થાય તેનું અભિયાન ચાલી રહ્યું છે. કાર્યકરોમાં અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, પ્રકાશ મનસુખભાઈ, રાજુભાઈ યાદવ, નિર્ભય જોશી, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ સહિત કાર્યકરો નિદર્શન સંબંધી કાર્યમાં જોડાયા છે.
રાજયમાં ઉલ્કા વર્ષા સંબંધી વિશેષ જાણકારી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં વિગતવાર ખગોળીય માહિતી ફોટા સાથે પ્રગટ કરવા પ્રાર્થના. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા